માધ્યમ ગુજરાતી- ઉત્તમ અંગ્રેજી

5 Sept 2017

શિક્ષક દિન-૨૦૧૭


સંસ્કાર વિદ્યાસંકુલ-બલેશ્વર ખાતે તા:૫મી સપ્ટેમ્બર રાષ્ટ્રીય શિક્ષક દિનના આ દિવસે ભારત દેશના મહાન કેળવણીકર ડૉ.સર્વપલ્લી રાધાકૃષ્ણના જન્મદિનની યાદમાં શાળામાં વિદ્યાર્થીઓ દ્વારા શિક્ષક દિનની ઉજવણી કરવામાં આવી. આ કાર્યક્રમની શરૂઆત શાળાના વિદ્યાર્થીઓએ પ્રાર્થના કરી અને શિક્ષક દિન નિમિતે વિદ્યાર્થીઓએ જ ટ્રસ્ટીશ્રી, આચાર્યાશ્રી તેમજ વિષય શિક્ષકો બન્યા હતા. તેમણે દીપપ્રાગટ્યની વિધિ કરી હતી. આ કાર્યક્રમમાં શાળાના વિદ્યાર્થીઓએ સેવકથી લઈને શિક્ષક તથા પ્રમુખશ્રીની ભૂમિકા ભજવી હતી તથા આ પવિત્ર દિને શિક્ષક બનેલા વિદ્યાર્થી મિત્રોએ પોત-પોતાના અનુભવો રજુ કર્યા. આમ શાળા પરિવાર દ્વારા વિદ્યાર્થીઓને મનુષ્ય જીવનમાં શિક્ષકનું મહત્વ અને યોગદાન સમજવાનો સરળ અને સુંદર પ્રયાસ કર્યો હતો.